- નિયમોનું પાલન ન કરનારે સંઘમા જોડાવું નહી.
- દરરોજ સવારે 5-00 કલાકે અને સાંજે 7-00 કલાકે માતાજીની આરતીમાં ફરજીયાત હાજર રહેવુ. આરતી છોડી જનાર પાસેથી ₹. 25/- દંડ લેવામાં આવશે.
- સંઘમાં જોડાનાર વ્યકિતએ સંઘમાં પોતાની જવાબદારીથી આવવાનુ રહેશે.
- પદયાત્રીને જરૃરી હલકી બેગ (થેલો), ઓઢવા-પાથરવાનું, બેટરી, દવાઓ તથા અન્ય ચીજ વસ્તુ લાવવાની રહેશે.
- સંઘમાં આવનાર વ્યકિતએ દરેક સભ્યશ્રી સાથે હળીમળીને સંઘભાવનાથી મદદરૃપ થવું અને સંઘની સાથે ચાલવાનું રહેશે.
- મંદિરમાં અને રોકાણ સ્થાન પર કોઈ પણ વ્યકિતએ ધુમપાન કે ગુટખાનુ સેવન કરવુ નહી.
- સંઘ તરફથી સવારે નાસ્તો અને બે ટાઈમ ભોજન તથા બિસ્તરા (થેલા) મુકવા માટે સાઘનની વ્યવસ્થા કરેલ છે.
- કોઈ વ્યકિત ને ચાલવામાં મુશ્કેલી પડે તો સંઘના કોઈ અન્ય સભ્ય ને જાણ કરવી.
- કાયૅકમમાં સંજોગો વસાત ફેરફાર થાય તો દરેક સભ્યએ માન્ય રાખવો પડશે.
- સંઘમાં જોડાનાર સભ્યએ પાંચ દિવસ અગાઉ ફોમૅ ભરી પરત કરવાનુ રહેશે. જેની ખાસ નોંઘ લેવી.
- સંઘના કે રસ્તા પરના કોઈપણ વ્યકિત સાથે અભદૄ વ્યવહાર કરવો નહી.
- સંઘમાં જોડાનાર વ્યકિતએ પોતાના ભાગે આવતો ફાળો આપવાનો રહેશે. આ ઉપરાત જેને વઘુ દાન આપવુ હોય તે આપીશકે છે.