ઝારોલા ગામે આવેલા અમારા ખોડીયાર મઠ થી રાજપરા પગપાળા યાત્રા ખોડીયાર યુવક મંડળ આયોજિત આ સંઘ વહેલી સવારે ગામની મધ્યમાં આવેલા મુડધરી માતાજી ના મંદિરથી માતાજી ની પૂજા-અર્ચના કરી ધજા દંડ સાથે પ્રસ્થાન થાય છે. જય ખોડીયાર ના જયકાર સાથે રાજપરા જવા માટે રવાના થાય છે. આ સઘ માં ૧૦૦ થી ૧૨૦ જેટલા ભક્તો જોડાય છે.
આ ખોડીયાર સંઘ ની શરૂઆત ૨૦૦૦ ની સાલ માં થઇ હતી. આ સંઘ માં સૌપ્રથમ અરવિંદભાઈ એકલા ભાવનગર(રાજપરા) ચાલતા ગયેલા. તેમાં થી શરૂઆત થઇ ખોડીયાર યુવક મંડળ ની. પછી એના બીજા સાલ માં પ્રવીણ ભાઈ, નટુભાઈ,પ્રકાશ ભાઈ બબીતા બેન વગેરે એમ ૯ સભ્ય થયા. ત્રીજી સાલ માં ૨૬ જણા આવવા માટે સાથે થયા અને પછી એમ કરી ને શરૂઆત થતી ગઈ. અને પછી ખોડીયાર માતાજી ની દયા થી આ સંઘ ઉભો થયો. આ સંઘ માં પુરુષો, સ્ત્રીઓ,વડીલો અને નાના બાળકો પણ સાથે આવે છે. આમારા આ ખોડીયાર મંડળ માં ઘણા વ્યક્તિ સેવા આપવા માટે આવે છે. તેઓ સેવા આપવામાં પોતાનું સોભાગ્ય મને છે .
ખોડીયાર માં ની દયા આવી જ આ ખોડીયાર ગ્રુપ પર રહે..... જય ખોડીયાર... જય મેલડી માં .....
આ ખોડીયાર ગ્રુપ ની વધુ વિગતો જાણવા માટે અને આ ગ્રુપ માં જોડવા માટે અહિયાં click કરો Artical